તમે જ તમારા ભાગ્યવિધાતા બનો.

  “ મન ના હારે હાર અને મન ના જીતે જીત ”
 “ મીટા દે અપની હસ્તી કો ગર કુછ મર્તબા ચાહિયે
 કી દાના ખાખ મે મિલકર, ગુલે - ગુલઝાર હોતા હે”


જે માણસ મન થી હારિ જાય છે તેને કોઈ જીતાડી શકતું નથી. દ્રઢ ઈચ્છાશક્તિ થી ભાગ્ય  ને પણ ઝુકવું પડે છે સાહેબ  પણ  જો તમારા માં તે કામ માટે જાત હોમી દેવાની તૈયારી હોય તો જ.


 આજના યુવાનો ને પોતાને ગમતા કામ કે પેશન વિશે ખબર જ નથી પડતી કે શુ કરવું છે. ઘણા એવા લોકો છે જેને કંઈક કરવું તેને હંમેશા એવો ડર સતાવતો હોય છે કે સમાજ શુ કહેશે, લોકો શુ કહેશે, મારો પરિવાર શુ કહેશે આ કામ માટે આટલા પેસા પણ મળતા નથી પણ જો એ કામ તમારા આત્મા ને ગમતું હોય તો કોઈ ની શરમ રાખ્યા વિના કરજો. કારણ જે માણસ પ્રગતી નથી કરતો, એ માણસ બંધિયાર બની જાય, તેમાં મનુષ્યત્વ મરી પરવારે છે.


 સફળતા મેળવવા માટે એવા ગુણો વિકસાવવા પડે જેવાકે આત્મવિશ્વાસ, દ્રઢ ઈચ્છાશક્તિ, મહેનત,  સમય નું પાલન , નીતિમતા, નિખાલસતા, આપણા દેશ, સમાજ, પરિવાર, તથા માનવતા માટે કૈક સારું કરી છૂટવાની ભાવના. એ કોઈ એક દિવસ માં સફળતા નથી મળતી કે એક મહિના માં એના માટે તમારે તમારા કોમ્ફર્ટ ઝોન માંથી બહાર નીકળવું પડશે કૈક, ક્રિએટિવિટી વિકસાવવી પડશે,પોતાના વ્યક્તિત્વ ને નિખારવું પડશે એક ને એક જગ્યા એ રેવાથી અને વિકાસ નહિ પામી શકાય બહાર પણ નીકળવું પડશે.જેનો તમને હંમેશા ડર લાગતો હોય તેની સામે રોજ ઉભા રહી સામનો કરજો એનાથી તમારું મનોબળ વિકાસ પામશે. કોઈ એક નિશ્ચિત લક્ષ્ય ને નકી કરજો કારણ કે લક્ષ્ય વિનાનું જીવન નકામું લાગશે.પહેલા નાના ગોલ ને પાર કરજો જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે.સિદ્ધિ તેને ફરી વળે જે પરસેવે ન્હાય છે. સફળતા મેળવવા માટે રોજ સવારે ઉઠીને લડવું પડશે રોજ કૈક નવું ઝોખમ ઉઠાવવાની તૈયારી રાખવી પડશે.

પણ હા આ દુનિયા ને તમારી મહેનત માં રસ નથી ફક્ત તમારી સફળતા માંજ રસ છે એટલે દુનિયા ની પરવા કર્યા વગર પોતાનું  અસ્તિત્વ સ્થાપવા, આ દુનિયા ને કૈક આપવા, તથા પોતાના સપના સાકાર મહેનત કરવા કરજો .

  '' જો કસ્તી લહરો સે ટકરાયે ઉસે તૂફાન કહતે હૈ        ઓર જો તૂફાનો સે ટકરાયે ઉસે યુવાન કહતે હૈ ''
                           
તમે જ તમારા ભાગ્યવિધાતા બનો. તમે જ તમારા ભાગ્યવિધાતા બનો. Reviewed by PARTH LAKHANI on નવેમ્બર 30, 2017 Rating: 5

ટિપ્પણીઓ નથી:

Blogger દ્વારા સંચાલિત.