જેનુ કોઈ નથી એના કયારેક બની જાજો. માનવતા એ ઈશ્વર ની અનુભુતિ છે.

   ''સપના તો એના પણ સાહેબ આસમાન ની           બુલંદી ને પામવાના હતા
   પરંતુ સંજોગો અને જવાબદારી ના ભારે જુકાવી     દીધા''
આ દુનિયા માં એવા હજારો બાળકો છે જે પોતાનું સરખી રીતે પેટ પણ નથી ભરી સકતા તેને ભણવાની ની અને ભવિષ્ય ની વાત તો જુદી જ રહી. તેઓ પોતાની આખી જિંદગી કોઈક પર નિર્ભર રહી વિતાવી દે છે.એક બાળક એ ઉગતો સુરજ છે. તે ઈશ્વર ની પ્રતીતિ કરાવે છે.નિખાલસતા અને નિર્દોશતા થી ભરેલું બાળક નું જીવન હોય છે. શું તેના પ્રત્યે આપણી કોઈ જવાબદારી છે કે નથી?
શું તેમાંથી કોઈ પ્રતિભા સંપ્પન વ્યક્તિત્વ હોય તો તેને નિખારવા કે આગળ લઈ આવવા આપણે પ્રયત્નો કરવા જોયે કે નહિ?  આપણા દેશ માં નાના બાળકો ને ક્યાંય પણ કામ કરવા પર પ્રતિબંધ છે. તો શું એના  પરિવાર માં કમાવવા વાળું કોઈ નહી હોય તો એને સ્વરોજગાર કે કોઈ મદદ ની જવાબદારી કોણ લઈ શકે? કોઈ નહિ મિત્રો આ જવાબદારી આપણી છે. એક માણસ ની માણસ પ્રત્યે ની માણસાઈ છે.  ઉપરવાળો બધે અને બધી જગ્યા એ પહોંચી શકતો નથી થોડી થોડી આપણે પણ એને મદદ કરી શકીયે.

મનુષ્ય જ મનુષ્ય વચ્ચે માનવતા ભુલી જાય છે સાહેબ બાકી અબોલ પશુઓ  પણ પ્રેમ,દયા અને કરુણા ની ભાષા  જાણે છે. એક ગલી ના કુતરા ને ત્રણ દિવસ રોટલી ખવડાવો તો પણ તે ત્રણ વર્ષ સુધી તમને યાદ રાખે છે. આપણે પેસા ને આપણા જીવનમાં એટલું મહત્વ આપી દીધું કે દુનિયા ના દુઃખ કે દર્દ દેખાતા જ નથી. પેસા થી ક્યારેય ખુશી ખરીદી નથી સકતા પણ વહેંચી જરૂર શકીયે. કોઈક ના ચહેરા પર ખુશી લાવવી મોટી વાત છે કારણ કે એ ખુશી કયારે દુઆ બની જશે તમને  ખબર પણ નહિ પડે. માનવી પાસે માનવી નથી આવતો પણ તમારા દિવસો જોય ને કોઈક આવે છે.તમારા માં કૈક પ્રેમ,ધન,એશ્વર્ય,વિદ્યા,જ્ઞાન,બુદ્ધિ કૈક હોય ત્યારે આવે છે. પાસે આવેલા ને આવકાર મીઠો આપજો.

આ દુનિયા માં જિંદગી જીવવા વાળા ઘણા છે પણ જિંદગી  બનાવવા વાળા ઓછા છે. ભારત માં લોકો મંદિરો માં કે બીજા ધાર્મિક સ્થળો એ અબઝો રૂપિયા નું દાન કરે છે કરવું જોઈએ એ આપણીભવ્ય સંસ્કૃતિ છે પરંતુ તેના  ખાલી દાનનો આખા દેશ નો દસમો ભાગ આ બાળકો માટે કાઢવા માં આવે તો પણ કોઈ બાળક શિક્ષણ થી કે જીવન જરૂરી વસ્તુ થી વંચિત ના રહે. આજની જનરેશન ઘણી સમજદાર અને ઈમાનદાર છે. યુવાનો એ આ સેવા યજ્ઞ માં જોડાવું જોઈએ. યુવાન માં કંઈક ક્રાંતિ લાવવાની કે દુનિયા માં પરિવર્તન લાવવા ની તાકાત હોય છે.                          
'' જેનું કોઈ નથી એના ક્યારેક બની જજો જે પોતાના છે તેને અપનાવી લેજો જિંદગી ટૂંકી છે સાહેબ અંદર જેટલું સત્વ પડેલું છે લૂંટાવી ખાલી થય જજો''
જેનુ કોઈ નથી એના કયારેક બની જાજો. માનવતા એ ઈશ્વર ની અનુભુતિ છે. જેનુ કોઈ નથી એના કયારેક બની જાજો. માનવતા એ ઈશ્વર ની અનુભુતિ છે. Reviewed by PARTH LAKHANI on ડિસેમ્બર 01, 2017 Rating: 5

ટિપ્પણીઓ નથી:

Blogger દ્વારા સંચાલિત.